MITR-DHARM

Thursday 15 March 2012
કવિ શ્રી દુલા ભાયા કાગે નીચેના ઝૂલણા છંદમાં સજ્જન મિત્રનો ત્યાગ કરવાથી થનાર પરિસ્થિતિ માટે લોકોને વાકેફ કરવા જુદા-જુદા રૂપકોનું પ્રયોજન કર્યું છે.
હંસ
(માન સરોવર નો ત્યાગ કરનાર હંસ ની દશાનું નિરૂપણ )
ત્યાગ હંસે કર્યો માનસરોવર તણો,
 આવિયો તટ દધી નીર નાયો;
કોઈ એને પછી હંસ કે'તું નથી,
 હંસ બગલાની હારે ગણાયો;
મોતી મળ્યા નહિ ત્યાં મળી માછલી,
 સુખ લવલેશ ત્યાંથી ન લાધ્યું;
શરીર રઝળ્યું જુઓ તીર સાગર તણે,
 બકગણે હંસ નું માંસ ચાર્યું.

લોહ
(લાકડાની ઈર્ષા આવવાથી ખીલા જહાજમાંથી છુટા પડવાથી 
ખીલાની દશાનું નિરૂપણ )
લોહને કાષ્ઠ બે સંગ જ્યારે મળ્યા,
જા'જ થઇ સાગરે સફર કીધી;
લોહ વજને ઘણું કાષ્ઠ સંગે રહી,
 અકળ રત્નાકરે લે;ર કીધી;
વહાણ છે કાષ્ઠ નું એમ સૌ કો કહે,
 લોહથી એન મનમાં સહાણું;
તુર્ત જુદું થયું કાષ્ઠ તરતું રહ્યું,
 લોહ દરિયા ને તળિયે સમાણુ.  
                                                                                                         - દુલા ભાયા કાગ 

4 comments:

  1. Anonymous said...:

    i cant't understand this can you explain it.?

  1. Anonymous said...:

    WAH MOJ WAH..........

  1. વાહ ચારણ
    જય માતાજી

  1. વાહ ચારણ
    જય માતાજી

Post a Comment